Archive for the ‘ડો.હિતેશ ચૌહાણ "વિશ્વાસ"’ Category

ગુજરાતી શબ્દ-સ્પર્ધાની પૂર્વતૈયારી…ઋ શબ્દસંશોધન

મે 7, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આપ સર્વે જાણતા જ હશો કે ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વતૈયારી હવે પૂર્ણતાને આરે છે અને ગુજરાતી શબ્દ સ્પર્ધાના અલાયદા બ્લોગનું પણ મુહૂર્ત થઈ ચૂકેલ છે તો આજે સમયની વ્યસ્તતા છતા કાન્તિભાઈ કરશાળાની મદદથી ઋ શબ્દ સંશોધનની શબ્દોનું લિસ્ટ તૈયાર કરેલ છે જે આપ સર્વેના જ્ઞાનમાં પણ વધારો કરશે.અને તેને યથાયોગ્ય શબ્દપ્રયોગ પણ મૂક્યા છે છતા જો કોઈ ક્ષતિ લાગે તો મને જણાવવા વિનંતી…

ક્રમ

શબ્દ

અર્થ

શબ્દપ્રયોગ

૦૧

ઋકથ

ધન;દોલત;

દ્રવ્ય; પૈસો.

નિતિન પાસે પુષ્કળ ઋકથ હોવા છતાં તેનામાં અભિમાનનો છાંટોયે નહોતો.

૦૨

ઋક્સહસ્ત્રમિતેક્ષણ

શિવનાં હજાર માંહેનું એક નામ.

બિલ્વપત્ર અને દૂધના અભિષેકથી ઋકસહસ્ત્રમિતેક્ષણની પૂજા અર્ચના કરવામાં આવે છે.

૦૩

ઋક્સામ

ઋગ્વેદ અને સામવેદ.

ઋકસામ પ્રાચીન જ્ઞાનવિશેષ અને સંગીતપ્રધાન સાહિત્ય છે.

૦૪

ઋક્શૃંગ

વિષ્ણુ.

અમૃતનો કળશ દાનવો પાસેથી પાછો મેળવવા માટે ભગવાન ઋકશૃંગે મોહિની રૂપ ધારણ કરેલું.

૦૫

ઋખિ

ઋષિ; મુનિ; તપસ્વી; સાધુ.

ભગવાનને પ્રસન્ન કરવા ઋખિ કઠોર તપ કરતાં.

૦૬

ઋખ્યમાન

નર્મદા નદી પાસેનો નામનો પર્વત.

નર્મદા નદીના કિનારે ઋખ્યમાન એક તપસ્વીની માફક બિરાજેલ છે.

૦૭

ઋગ્મિય

વખાણવા જેવું.

કવિ રાજારામ વર્માનાં તૈલી ચિત્રો ઋગ્મિય હોય છે.

૦૮

ઋગ્મી

પૂજા કરતું;

માન આપતું.

. કેટલાક દંભી લોકો બધાની સમક્ષ પોતે ઋગ્મી હોવાનો ઢોંગ કરે છે.

. ઋગ્મી[માન આપતી] વ્યક્તિ દરેકનું મન મોહી લે છે.

૦૯

ઋચીષ

નરક,

લોઢી.

. દાનપુણ્ય કરનારને મૃત્યુ બાદ સ્વર્ગ અને પાપલીલા આચરનારને ઋચીષ પ્રાપ્ત થાય છે.

. રસોડામાં તાવડીનું સ્થાન હવે ઋચીષે લઈ લીધું છે.

૧૦

ઋતપેશ

સંપૂર્ણ સ્વરૂપવાળું.

ઋતપેશ ભગવાન વિષ્ણુના દર્શનમાત્રથી સર્વ જીવોનું કલ્યાણ થાય છે.

૧૧

ઋતસદન

યજ્ઞ માટે બેસવાનું સ્થાન.

ઋતસદન હંમેશા સ્વચ્છ અને પવિત્ર હોવું જોઈએ.

૧૨

ઋતિકર

દુર્ભાગી; કમનસીબ.

જેમના માથા પર માતાપિતાની છત્રછાયા નથી હોતી તેઓ ઘણા ઋતિકર હોય છે.

૧૩

ઋત્વિક

પુરોહિત; આચાર્ય; ઋત્વિજ.

ગર્ગઋષિ યાદવોના ઋત્વિક હતાં.

૧૪

ઋતુધામા

ઇંદ્ર. તે સ્વર્ગમાં રહે છે

દાનવોએ ઋતુધામા પર આક્રમણ કરતાં દેવોમાં ખળભળાટ વ્યાપી ગયો.

૧૫

ઋતોક્તિ

સત્ય કથન; સાચું કહેવાપણું.

રાજા હરિશ્ચન્દ્રનું નામ આજે પણ તેમની ઋતોક્તિ માટે જાણીતું છે.

૧૬

ઋદ્ધિ

પાર્વતી; દુર્ગા.

માતા ઋદ્ધિ ભગવાન શિવ સાથે કૈલાસ પર બિરાજમાન હતા ત્યાં શ્રી ગણેશનું આગમન થયું.

૧૭

ઋદ્ધિદા

નામની એક શક્તિ.

મહાલક્ષ્મીની પૂજાઅર્ચના, આહવાન કરવાથી ઋદ્ધિદા પ્રાપ્ત થાય છે.

૧૮

ઋદ્ધિધારી

સંપત્તિવાળું.

સિનેજગતમાં કામ કરનારા દરેક સિને કલાકારો ઋદ્ધિધારી નથી હોતા.

૧૯

ઋદ્ધિવૃદ્ધિ

આબાદીમાં વધારો.

ભારતમાં ઉત્તરોત્તર થતી ઋદ્ધિવૃદ્ધિ ચિંતાનું કારણ છે.

૨૦

ઋણભાર

કરજનો બોજો

ચાલો સંકલ્પ કરીએ કે ત્રેવડ નહી હોય તો વેચાઈ જાઈશું પણ માથે ઋણભાર કદી નહી રાખીએ.

૨૧

ઋણમત્કુણ

જામીન; હામી.

ધરપકડથી બચવા આગોતરા ઋણમત્કુણની અરજી કરવામાં આવે છે.

૨૨

ઋભ્વ

હિંમતવાન. નિશ્ચયવાળું.

ઋભ્વ વ્યક્તિ કઠીન પરિસ્થિતિમાં પણ વિચલિત થતા નથી.

૨૩

ઋવાદ

મરણ; મોત.

ઋવાદ જિંદગીનું સનાતન સત્ય છે.

૨૪

ઋશય

હિંસા. હિંસા કરવા જેવું

મહાત્મા ગાંધી ઋશયનો હંમેશા વિરોધ કરતા.

૨૫

ઋશ્યદ

હરણ પકડવાનો ખાડો; કૂવો.

મૃગને પકડવા પારધી જંગલમાં ઋશ્યદ બનાવી, છૂપાઈને શિકારની રાહ જોવા લાગ્યો.

૨૬

ઋષિધર્મ

જૈનધર્મ.,

વેદ ધર્મ.

ઋષિધર્મ કહે છે, “અહિંસા પરમો ધર્મઃ

૨૭

ઋષિપૂજન

બળેવ

ઋષિપૂજનના દિવસે બ્રાહ્મણો પોતાની જનોઈ બદલે છે.

૨૮

ઋષિરાય

શ્રેષ્ઠ ઋષિ; ઋષિઓનો રાજા.

ઋષિરાય વેદવ્યાસે મહાભારત જેવા મહાગ્રંથનું નિર્માણ કરેલું.

૨૯

ઋષીક

માંસાહારી.

સિંહ ઋષીક પ્રાણી છે.

૩૦

ઋષીકા

દેવી. સ્ત્રીઋષિ.

વેદકાલીન યુગમાં ગાર્ગી,મૈત્રેયી, સુલભા જેવી અનેક ઋષીકાઓ થઈ ગઈ.

૩૧

ઋષુ

બળવાન; જોરાવર.

પાંચે પાંડવોમાં ભીમ સૌથી વધું ઋષુ હતા.

૩૨

ઋક્ષપતિ

રીંછોનો રાજા; રીંછોનો સરદાર જાંબુવાન.

શ્રીરામની સેનામાં સુગ્રીવ,અંગદ,હનુમાન,ઋક્ષપતિ જેવા મહાન યોદ્ધાઓ હતાં.

૩૩

ઋક્ષપુંજ

તારાઓનો સમૂહ.

બ્રહ્માંડમાં આપણાં સૂર્ય કરતાં પણ લાખો ગણા મોટા કદનાં અનેક ઋક્ષપુંજ આવેલા છે.

૩૪

ઋક્ષર

પાણીની ધાર.

સતત પડતું ઋક્ષર પથ્થરને પણ કાપી નાખે છે.

૩૫

ઋક્ષલા

ઘૂંટી નીચેની નાડી.

સાંકળ.

.પગનાં રોગોનાં નિદાનમાં ઋક્ષલાનું પરિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે.

.ઉન્મત્ત હાથીને મજબૂત ઋક્ષલા વડે બાંધવો પડે છે.

नारी तेरी अजब कहानी…..“મન”

માર્ચ 9, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

ગઈકાલે હતો મહિલા દિન અને કાલે રાત્રે જ મારી કવયિત્રી મિત્ર મન એ મને તેમની નારી પર લખેલી કવિતા મોકલી આપી.પરંતુ કાલે મોડું થઈ ગયું હોવાથી કાલે રજુ ન કરી શક્યો તેથી આજે આ હિન્દી રચનાના અનુવાદ સાથે અહીં રજું કરું છું.આશા છે આપને ગમશે.કંઈ ભૂલ હોય તો સુધારશો.

 21st-naari

 

नारी तेरी अजब कहानी,

जिसको तुने राह दिखाई,

उसीने तुज पे ऊंगली उठाई,

नारी तेरी अजब कहानी.

 

जहां बनी सीता न्यारी,

उसी रामने त्यागी नारी,

नारी तेरी अजब कहानी.

 

ईन जुल्मो को सहते सहते,

खुद अपनी जान लूटादी,

नारी तेरी अजब कहानी.

 

सती सावित्री, दुर्गामां और राणी लक्ष्मीबाई,

ईन जैसी नारी की ईस धरती पर है शान निराली,

नारी तेरी अजब कहानी.

 

आज की नारी बन गई शयानी,

जब जब जुल्म हुआ तब तब अपनी आवाज बुलंद करनेवाली,

अपने पैरों पे खडे हो कर सब कुछ कर दिखानेवाली,

नारी तेरी अजब कहानी.

 

ना किसी से डरनेवाली,

डर को ये जीतने वाली,

ये तो है २१वी सदी की नारी,

ईस नारी की शान निराली,

नारी तेरी अजब कहानी.

 

………………………….

             By      મન

 

નારી તારી અજબ કહાણી,

જેને તે રાહ દેખાડી,

એને જ તારા પર આંગળી ઉઠાવી,

નારી તારી અજબ કહાણી.

 

જ્યાં બની સીતા ન્યારી,

એ જ રામે ત્યાગી નારી,

નારી તારી અજબ કહાણી.

 

આ જુલ્મોને સહેતા સહેતા,

તે પોતાની જાન લૂટાવી,

નારી તારી અજબ કહાણી.

 

સતી સાવિત્રી,દુર્ગામાં અને રાણી લક્ષ્મીબાઈ,

આવી નારીઓની આ ધરતી પર છે શાન નિરાળી,

નારી તારી અજબ કહાણી.

 

આજની નારી બની ગઈ શાણી,

જ્યારે જ્યારે જુલ્મ થયો ત્યારે ત્યારે પોતાનો અવાજ બુલંદ કરવાવાળી,

પોતાના પગ પર ઊભી રહી બધું કરી દેખાડવા વાળી,

નારી તારી અજબ કહાણી.

 

ના કોઈ થી ડરવાવાળી,

ડરને જે જીતવાવાળી,

આ તો છે ૨૧મી સદીની નારી,

આ નારીની છે શાન નિરાળી,

નારી તારી અજબ કહાણી.

…………………

By Hitesh chauhan ‘vishvas’

मेरे लड़ुजी का संदेश…..“મન”

જાન્યુઆરી 30, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

અરે એક સરસ ખુશખબર મળી.મારો એક મિત્ર હર્ષિલ ભટ્ટ આજે મામા બની ગયો.તેની બેને આજે એક નાના લડ્ડુગોપાલને જન્મ આપ્યો તો આ ખુશી બદલ તેને પણ કંઈક બાળકાવ્ય મૂકવાની ફરમાઈશ કરેલી અને વળી થોડા સમય પહેલા મારી મિત્ર મન એ આપેલી આ લડ્ડુગોપાલ પરની રચના યાદ આવી અને તેમાં એક છેલ્લી પંક્તિ ઉમેરી આ રચના તે બાળગોપાલને અર્પણ કરું છું. વળિ તેની બહેન પણ ત્યા અમેરિકામાં જ છે તો આ દૂર દૂરની પંક્તિ સાર્થક થતી હોય તેવું લાગે છે.

 

krishna

 

दूर दूरसे आती समंदरकी लहेरोंसे पूछा मेरे लड़ुजी का संदेश,

दूर दूर तक छाए आकाश के घनघोर बादल से पूछा मेरे लड़ुजी का संदेश,

दूर दूरसे आते हवा के झोंकोसे पूछा मेरे लड़ुजी का संदेश,

दूर दूरसे आती हुई खुश्बूवाले बागो के फूलोंको पूछा मेरे लड़ुजी का संदेश,

दूर दूरसे गुंजन करने वाले भंवरोंसे पूछा मेरे लड़ुजी का संदेश,

कब कौन ले के आयेगा मेरे लड़ुजी का संदेश.

 

तो लो आई दूर दूरसे एक खुशखबर के आया मेरे लड़ुजी का संदेश.

वहां जहां मेरा लड़ुगोपाल रहेता है…..કંઈક મારા તરફ થી

ડિસેમ્બર 14, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

ગત દિવસોમાં એક વાત બની ગઈ કે આપણા દ્વારકાધીશને ૧૨મી ડિસેમ્બરે સુવર્ણ સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા.આટલી મંદીમાં પણ તેમનો દબદબો અકબંધ છે.તો આજે મારી એક રચના જેમાં અમે હંમેશા તેમને લડ્ડુ ગોપાલ જ કહીએ છીએ તો તે રચના અત્રે રજું કરું છું હા આ રચનામાં મને મારી મિત્ર મન એ પણ માર્ગદર્શન આપેલ છે. તો તેમનો પણ આભાર તો માનવો જ પડે ને.શબ્દોની દુનિયામાં હ્જુ તો સાવ નવો છું આશા છે આપ સ્વીકારશો.અને આપનો પ્રતિભાવ આપશો…

વળી આપણા કચ્છમાં ભવ્ય ચંદ્રમાની શિતળ ચાંદનીમાં રણોત્સવ પણ યોજાઈ ગયો.તથા ગઈકાલથી બે દિવસ માટૅ ગાંધીનગરના ટાઊનહોલ ખાતે સાહિત્યસભાનો દશાબ્દી મહોત્સવ યોજાઈ રહ્યો છે જેનું ઉદઘાટન શ્રી મોહમ્મદ માંકડ દ્વાર કરવામાં આવેલ.જેમાં વક્તવ્ય, કવિ-સંમેલન તથા કનૈયાલાલ મુન્શીનું નાટક પણ રજુ કરવાના છે તો આપ પોતાનો સમય નિકાળિ અહીં મુલાકાત જરૂરથી લેજો.  

 

dwarkadhish1 

 

मेरी आवाज़ पहुंचे वहां जहां मेरा लड़ुगोपाल रहेता है

दुआ करता हुं वहां जहां मेरा लड़ुगोपाल रहेता है

सांसे चलती है वहां जहां मेरा लड़ुगोपाल रहेता है

दिल धडकता है वहां जहां मेरा लड़ुगोपाल रहेता है

आज जो भी हुं जहां भी हुं वहां जहां मेरा लड़ुगोपाल रहेता है

रोशन है जहॉ हमारा वहां जहां मेरा लड़ुगोपाल रहेता है

मन का विश्वास है वहां जहां मेरा लड़ुगोपाल रहेता है

कैसे भूल जाउं वहां जहां मेरा लड़ुगोपाल रहेता है

रिश्ता वही प्यारा बन जाता है वहां जहां मेरा लड़ुगोपाल रहेता है

“વિશ્વ પોલિયો દિન” …दो बूंद जिंदगी की…..ડો.હિતેશ ચૌહાણ “વિશ્વાસ”

ઓક્ટોબર 24, 2008

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૪મી ઓક્ટોમ્બર.આજે મનાવાય છે વિશ્વ પોલિયો દિન એટલેકે World Polio Day”. પોલિયો એક એવો રોગ છે કે જે શિતળા(Small Pox)  બાદ નામશેષ થઈ શકે તેમ છે.પરંતુ તે માટે જરૂરી છે લોકજાગૃતિની.આજે પણ ઘણા ગામડામાં એવા લોકો વસે છે જે પોતાના વહાલસોયાને પોલિયો કે અન્ય રસી પીવડાવતા કે અપાવતા નથી.તેઓ આજે પણ માને છે કે આ બધા ધતિંગ છે.અરે સરકારી દવાખાનામાં આ રસીઓ મફત આપવામાં આવવા છતાં પોતાના લાડકાને કંઈ ના થાય કહીને રસી અપાવતા નથી.અરે સિનેજગતનાં સિતારાઓ જેવા કે અમિતાભ બચ્ચન દ્વારા જાહેરાત કરવા છ્તા પણ હજી ગત વર્ષે ૨૦૦૭માં ભારતમાં પોલિયોના ૬૧૩ કેસો નોંધાયા છે જેમને રસી નહોતી મૂકાવી.વળી મેડિકલ સાયન્સ કહે છે કે ૧ પોલિયાના કેસની પાછળ બીજા હજાર દર્દી છૂપાયેલા હોય છે.અને કેટલાક કિસ્સામાં નાનાં બાળકોના મૃત્યુ પણ થઈ શકે છે.બે ટીપાં પીવડાવવા તેઓ જો બે ડગલા ચાલે તો તેમનો લાડકો કે લાડકી જીવનભર પોતાના પગ પર ચાલી શકશે.પોલિયો એક એવો રોગ છે કે જે એકવાર લાગુ પડી જાય તો એને અટકાવવો મુસ્કેલ છે.માટે જ તેનો સૌથી સરળ અને સુલભ ઉપાય છે પોલિયોની રસીનાં બે ટીપાં.પરંતુ બે ટીપાં વળી આપણામાં કહેવત છે ને કે “પાણી પહેલા પાળ બાંધવી.” અને અંગ્રેજીમાં કહું તો “Prevention is better than cure.” વળી આપણા વડીલો પણ કહે છે ને કે રોગ અને શત્રુઓને ઉગતા જ ડામવા જોઈએ.તો પછી શા માટે આ પોલિયોથી નહી કારણકે જો દરેક બાળકને રસીકરણ કરવામાં આવે તો આ રોગ નામશેષ થઈ શકે તેમ છે.

આમ તો નાનપણથી આ શબ્દો સાંભળું છું” દો બૂંદ જીંદગી કી” અને કંઈક હંમેશા સ્ફુરતું પણ કંઈ લખી ન શક્તો પણ આજે જ્યારે આ ગુજરાતી સાહિત્યની આદત થઈ ગઈ છે તો મારા વિચારો ને બહાર આવવાની તક મળી ગઈ ને હિન્દી શબ્દના લીધે હિન્દીમાં વ્યક્ત કરી છે.આપ સર્વેના અભિપ્રાયની આપેક્ષા સહ મારી અ રચના રજૂ કરુ છું.

અને હાં ભારતમાં પોલિયોની રસીના નીચે મુજબ ડૉઝ આપવામાં આવે છે આ ઉપરાંત વચ્ચે નવેમ્બર થી ફેબ્રુઆરીના ગાળામાં જ્યારે સરકાર પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત વધારાના પોલિયો રવિવાર યોજે ત્યારે પણ આપના ૫વર્ષથી નાના બાળકોને રસી પીવડાવવાનું ભૂલતા નહી હોં ક્રે…

 

જન્મ સમયે- બી.સી.જી.સાથે ૦-ઓ.પી.વી.(ઓરલ પોલિયો વેક્સીન)

૧/૨ મહિને  – ત્રિગુણી રસી-૧ સાથે ૧-ઓ.પી.વી

૧/૨ મહિને  – ત્રિગુણી રસી-૨ સાથે ૨-ઓ.પી.વી

૧/૨ મહિને  – ત્રિગુણી રસી-૩ સાથે ૩-ઓ.પી.વી

૧૬ થી ૨૪ મહિને – બુસ્ટર ડોઝ ત્રિગુણી રસી અને ઓ.પી.વી.

 

छोटे का मोल नही,

पर छोटे बीना चलता भी नही  I

 

दो बूंद छाश की दूध को दहीं बना देती है,

दो बूंद कलर पूरे पानी को रंगीन बना देता है,

दो बूंद हसी कीसी अपने की जिंदगी सजा देती है,

और दो बूंद ही आपके छोटे को अपने पैरो पे खडा रख सकती है  I

 

मन का “विश्वास” कहेता है तो मत भूलो,

वो दो बूंद पोलियो के टीके की,

जो सही में है दो बूंद जिंदगी की II

 

૨૩મું રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયુ…જો પારખી જાણો કોઈ આંખો…..ડો.હિતેશ ચૌહાણ “વિશ્વાસ”

ઓગસ્ટ 28, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે બરાબર એક મહિનો થઈ ગયો આ સુલભગુર્જરીના શરૂ થયાને. વળી અત્યારે ૨૩મું રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયુ  પણ ચાલી રહ્યું છે જે ૨૫મી ઓગસ્ટ થી ૮મી સપ્ટેમ્બર સુધી મનાવવામાં આવે છે.જો કે આ પોસ્ટ વહેલી મૂકવી હતી પણ પછી આજનો દિવસ જ પસંદ કર્યો.વળી આજના દિન માટે રચેલી મારી આ કવિતા પણ આજના દિવસે જ મૂકવાનો વિચાર હતો.જેથી આપ સર્વે મિત્રોને એક વિનંતી કરી શકાય કે જેમ આ સુલભગુર્જરી સુલભ્ય બની તેવી જ રીતે આ દુનિયામાંથી જતા જતા કોઈ વ્યક્તિને ફરી આ સુંદર દુનિયા નિહાળવાની તક આપીએ તો કેવું..? માટૅ જ કહુ છુ કે મૃત્યુ પહેલા રક્તદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન આ બે દાન ખરેખર આપના ના હોવા છતા પણ આપની આ દુનિયામાં હયાતી પુરવાર કરશે. વળી આવતીકાલથી એટલેકે ૨૯ ઓગસ્ટથી ચાલો ગુજરાતનો પણ ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે.તો ચાલો આપણે સૌ આ માટૅ કટિબદ્ધ થઈએ. અને આજે માણો મારી આ આંખો પરની રચના જે હું મારા આ બ્લોગને બનાવવામાં મને સતત સાથ અને માર્ગદર્શન આપતા રહ્યા છે તેવી મારી મિત્ર મન ને આ રચના અર્પણ કરું છું.

 

 

 

આખો માણસ તમે વાંચી શકો…

જાણી શકો, જો પારખી જાણો કોઈ આંખો,

હ્રદયની જમાનામાં નથી ખાસ કસોટી,

ઈન્સાનની ખરી પહેચાન છે તેની આંખો !

કહે કે ના કહે જીભ કોઈ હકીકત કદી,

વાચા સતત લાગણીની રજૂ કરે છે આંખો !

 

વેદના કે વિપત્તિ ટકી ગઈ કદી દિલ પર,

અંતિમ પળે છાની રહી નથી કદી આંખો !

 

દોસ્તીના દાવા તો વર્તનથી કૈક થાય છે,

છેતરાઈ કોઈ ક્યાં શક્યું છે જોઈને આંખો !

 

મન ના ચમનમાં સદાય ખીલે વસંત,

હોય જો નિરામય પાવક દ્રષ્ટિસભર આંખો !

 

અર્પી શકે છે અશ્રુબિંદુઓના ગુલાબો,

સ્નેહ નીતરતી જગતની હીર છે આંખો !

વાટ જોઈ રહી છે એ જ વિશ્વાસથી વિશ્વાસની આંખો…..!

વિશ્વાસ કોણ છે…?………ડો.હિતેશ ચૌહાણ “વિશ્વાસ”

જુલાઇ 1, 2008

આજે છે ૧લી જુલાઈ એટ્લે કે તબીબ દિન અંગ્રેજીમાં કહું તો  Doctor’s Day”તો આજે એક રચના મારા તરફથી અહીં રજૂ છે ખબર નહીં તેમાં કેટલીએ ખામી હશે છતા આ મારો પ્રથમ જ કહી શકાય તેવો પ્રયાસ છે અને હાં આમાં મારી મિત્ર મનએ મને થોડી મદદ કરી છે.તો તેમનો આભાર તો માનવો જ પડે ને.. અને હાં આ રચનામાં આપ સર્વેના આ વિશ્વાસ કોણ છે ? તેને થોડું સમજાવવા પ્રયત્ન કરેલ છે તો મિત્રો આપ સર્વેને વિનંતિ કે આપ જણાવો કે આપના આ તબીબ મિત્રની આજના તબીબ દિન પર રજૂ કરેલ રચના કેવી છે તથા તેમાં જે ક્ષતિ રહી ગઈ હોય તો તે પણ જણાવશો.

 

અને હાં વિશ્વાસ પર એક સરસ વાર્તા યાદ આવી ગઈ. કદાચ આપે સાંભળી હશે તો ચાલો ફરી મમળાવી લઈએ. એકવાર એક ગામમાં દુકાળ પડેલો. તેથી મેઘરાજાને વિનવવા ગામલોકો ગામની પાદરે હવન કરવાનું વિચારે છે અને બધા ગ્રામજનો મોટા-નાના સર્વ કોઈને પાદરે પહોંચવુ એવું નક્કી કરે છે. ત્યારે બિજા દિવસે સૌ કોઈ જઈ રહ્યા હોય છે ત્યારે એક બાળક છત્રી લઈને જતો હોય છે ત્યારે સૌ કોઈ તેની મજાક ઉડાવે છે ત્યારે તે બાળક એટલુ કહે છે કે આપણે વરસાદને લેવા જઈએ છીએ તો પલળાય નહી તે માટૅ છત્રી તો જોઈએને… જોયુ સૌ ગ્રામજનોમાં માત્ર એક તે બાળકને વિશ્વાસ હતો કે મેઘરાજા રીઝશે અને વરસાદ આવશે……!!!!!!!

 

 

 

વિશ્વાસ કોણ છે…?

વિશ્વાસ જે મનનો શ્વાસ,

શ્વાસ જે શરીરમાં વસે,

શરીર કે જેમાં આત્મા વસે,

આત્મા કે જેમાં પરમાત્માં વસે,

પરમાત્મા જે સૃષ્ટિના સર્જનહાર,  તો

બીજા નિર્માણહાર છે તબીબ,

એક દુઆ, એક ને દુઆ

જેની આંગળીઓમાં જાદું

વિશ્વાસ તેને કહે છે તબીબ.