Archive for February 14th, 2010

વેલેન્ટાઈન ડે…પ્રિય દીદીનો જન્મદિવસ…મનના વિશ્વાસનો બીજો જન્મદિવસ…પ્રેમનો પમરાટ…..રમેશ પટેલ ‘ આકાશદીપ’

February 14, 2010

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

 

            આજે છે ૧૪મી ફેબ્રુઆરી.વિશ્વભરમાં આજે આ દિનને પ્રેમ દિન તરીકે ઉજવવામાં આવે છે એટલે કે વેલેન્ટાઈન ડે.વળી મારા માટે તો આજનો દિન એથી પણ વિશેષ ખાસ છે કારણકે આજે છે મારી સૌથી નજીક એવી મારી પ્રિય દીદીનો જન્મદિવસ.અને સાથે સાથે આ મનના વિશ્વાસનો બીજો જન્મદિવસ.અને આ પ્રસંગ પર રમેશભાઈ એ મોકલાવેલ રચના અને તેમની શુભેચ્છાઓ ચાલો માણીએ તેમના જ શબ્દોમાં..અને હા આપના અમૂલ્ય બે બોલથી અમને જરૂરથી પાવન કરશો. 

 

થઈ મનનો વિશ્વાસ રમશું
ઉર ને ભાવભરીને સજશું
ઘર દીવડા થઈ ઝળહળશું
ને પાવન પ્રકાશ પાથરશું
         મનના વિશ્વાસને આ શુભ દિને અંતરથી અભિનંદન. મેડિકલ લાઈનની વ્યસ્તતા છતાં સાહિત્યથી પ્રેમનાં ઝરણામાં સૌને ભીંજવતા ડો શ્રી હિતેશભાઈ અને મનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
                અને ગત વર્ષે આજના દિન પર રજું થયેલ સાત-સાત રચનાઓ ની પણ ફરી મુલાકાત જરૂરથી લેજો.

 

 

પ્રેમ એતો પાવન પમરાટ
રૂપાળો કે રૂક્ષ થઈ બદલતો ઘાટ
પ્રેમ એતો સાગરની જાત
મળે ચંદરવો તો ઉછળે જઈ આભ

પ્રેમ એતો દિલનો ઉજાશ
સમર્પણથી નિશદિન મ્હેંકે સુવાસ
 પ્રેમ એતો ભીંનો વરસાદ
ઝીલીને  પ્રેમનો  માણો અહેસાસ

પ્રેમ  એતો  સ્વપ્નોની  ચાહ
માના  ખોળાની  કહે  મમતાની  વાત
પ્રેમની વાતો છે રંગીલી યાર
કોઈ  દિ ગાયે ગઝલ કે રૂવડાવે રાત

પ્રેમ  પૂરે  જીવનમાં   શક્તિ  અનંત
પ્રેમની   વાતોના   નોંખા   છે   રંગ
ફૂલની  ફોરમ   લઈ  મ્હેંકે  છે પ્યાર
ચાહ  વિના જીંદગી અધૂરી  છે  યાર

વેલેન્ટાઈન ડે…પ્રિય દીદીનો જન્મદિવસ…મનના વિશ્વાસનો બીજો જન્મદિવસ… “ मन का विश्वास, ”…..प्रेरणा

February 14, 2010

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

 

               આજે છે ૧૪મી ફેબ્રુઆરી.વિશ્વભરમાં આજે આ દિનને પ્રેમ દિન તરીકે ઉજવવામાં આવે છે એટલે કે વેલેન્ટાઈન ડે.વળી મારા માટે તો આજનો દિન એથી પણ વિશેષ ખાસ છે કારણકે આજે છે મારી સૌથી નજીક એવી મારી પ્રિય દીદીનો જન્મદિવસ.અને સાથે સાથે આ મનના વિશ્વાસનો બીજો જન્મદિવસ.હા આપ સૌ મિત્રોના સાથ અને સહકારથી જ, આજના દિને જ ૨૦૦૮માં જન્મેલા આ માતૃભાષી બ્લોગ મનનો વિશ્વાસ આજે ૨ વર્ષ પૂર્ણ કર્યા અને આપ સૌના દિલમાં જ્ગ્યા મેળવી રહ્યો છે.અને આજે આપ સર્વે મિત્રો/વડીલોના આશીર્વાદથી અને પ્રભુકૃપાથી આ બ્લોગ પર ૨૭૮ રચનાઓ પ્રદર્શિત થઈ ચૂકી છે, જેમાં જુદા જુદા ૧૪૯ કવિઓની રચનાઓ છે તથા આપ સર્વેના ૪૯૬ થી વધું અમૂલ્ય પ્રતિભાવો આવ્યાં છે. અને અંદાજે . ૧૬૦૯૮ થી પણ વધું મિત્રો/વડીલોએ અમ આંગણૅ પધારી અમને અહોભાગી બનાવ્યા છે. 

               અને હા મને સતત પ્રોત્સાહન અને મદદ કરતા રમેશભાઈ પટેલઆકાશદીપ’, ડૉ.ચંદ્રવદન મિસ્ત્રી,જયેશભાઈ ઉપાધ્યાય, કેયુરભાઈ,દિલિપભાઈ ગજ્જર, વિતલ પટેલ,ધવલભાઈ,ડો.વિવેકભાઈ ટેલર, ઉર્મિબેન, જયશ્રીબેન, પ્રજ્ઞાજુબેન, ચિરાગભાઈ, ચેતનાબેન, પિન્કીબેન, બીનાબેન તથા સર્વે કદાચ ઘણાના નામ રહી ગયા છે તે સર્વેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને મારી પ્રિય દીદી અને મારી ખાસ મિત્ર મન જેમના વિના તો આ બ્લોગ આટલો વિકસિત જ ન થઈ શક્યો હોત અને આ સમગ્ર બ્લોગ અને તેની સફળતા આ બંનેને સમર્પિત છે.અને આ પ્રસંગ પર પણ રમેશભાઈ અને મારી મિત્ર પ્રેરણા બંનેએ પોતાની રચના મોકલાવી છે તો ચાલો માણીએ આ રચના..આને હા આપના અમૂલ્ય બે બોલથી અમને પાવન કરશો. અને ગત વર્ષે આજના દિન પર રજું થયેલ સાત-સાત રચનાઓ ની પણ ફરી મુલાકાત જરૂરથી લેજો.

 

 

ख्वाब जो मेरी आंखोमे है,

क्या तुमने भी देखे है ?

बातें जो ईन होंठों पे है,

क्या तुम भी कहना चाहते हो ?

तरसती है नजरें तेरे दिदार को,

तडपती है बॉंहे तुजे पाने को,

आवाज्ञ मेरे दिल की सुन लो तुम,

नाम मेरा कभी तो लो तुम,

प्यार से तुम्हारा दामन भर देंगे,

ऑंसु तुम्हारा हर हम लेंगे.

कह दो एक बार तुम्हे भी प्यार है,

दिल क्या जान भी तुम्हे दे देंगे.

मन और विश्वास का ये मन का विश्वास, ”

भर देंगा आप के जीवन में हर आश.


Follow

Get every new post delivered to your Inbox.