જય શ્રીકૃષ્ણ મિત્રો,
હવે તો આપણા ભારતના શૌર્યવાન સપૂત સંતાનો એવા કમાન્ડો, મીલેટરી જવાનો, ફાયરબ્રીગેડ કે જેઓ જાન હથેલીમાં રાખી,આતંકવાદના સફાયા માટે મેદાનમાં બહાદૂરીથી ઉતર્યા અને આખરે આતંકનો અંત આણ્યો.આ માટે તેમને તો બિરદાવવા જ પડે.
પણ એક સવાલ એ થાય છે કે આવું ક્યાં સુધી થશે…?પહેલા કાશ્મિરમાં બનેલ એક પ્રસંગ વાંચેલ યાદ આવે છે કે એક વખત એક ઈઝરાયેલ જુથ પર ૫ આતંકવાદીએ હુમલો કરેલ ત્યારે તેઓ માત્ર ૬ હતા પણ છ્તા તેઓ લડ્યા તેમાંના બે શહિદ થયા પણ પાંચે આતંકવાદીઓનો સફાયો થઈ ગયો અને તેઓ ચાર તો બચ્યાને.બસ કહેવું એટલું જ છે કે તેઓ ૧૦ કે ૧૨ હતા જ્યારે તે હોટલમાં તો ૫૦૦થી ૬૦૦ લોકો હતા જો તેઓ તેમના પર તુટી પડ્યા હોત તો હાં કદાચ કેટલાક મૃત્યુ પામત પણ તે આતંકવાદીઓના દિલમાં પણ એક ડર તો જન્માવત જ ને.અને આમ પણ મૃત્યુ પામનારનો આંકડો ઓછો તો નથી જ ને.તો પછી શહિદની જેમ લડતા મરવું શું ખોટું.હું હિંસાને સમર્થન નથી કરતો અને યુદ્ધ દરેક વાતનો જવાબ નથી હોતો.પણ આખરે સહનશીલતાની પણ હદ હોય છે અને હા કહેવત છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ પરંતુ એ બહાને આપણી કાયરતાને તો ન જ છુપાવી શકાયને.હા આપણા વીર જવાનો એ મદદ કરી તો શું આપણે આપણી મદદ ન કરી શકીએ.જાણું છું કે બોલવું સહેલું છે અને કરવું અઘરું પણ મુસ્કેલ છે અશક્ય તો નહી જ ને…ચાલો હવે આ બાબતે આપના મંતવ્યો જણાવજો.અને આપણા આ વીર જવાનો માટે રમેશ પટેલ(આકાશદીપ) ની આ રચના આપ સમક્ષ રજું કરું છું.
વાગે રણભેરી ને ગાજતું ગગન,
ના ઝૂકજે દેખી દુશ્મનોનાં દમન
તારો ભરોસો રે ભગવાનને અટલ,
અપલક અવનિ નીરખે તારું શૂરાતન
જુસ્સાથી જંગ તમે ખેલજો જવાન,
દીધી છે આણ ધરી સૂરજની શાખ
ગજાવજો સમરાંગણ શૌર્યથી દિનરાત,
રચજો કીર્તિગાથા માભોમને રે કાજ
માનવતાએ આજ દીધો તુજને મહાસાદ,
યુધ્ધ એજ માનજો હવે કલ્યાણ
જુલ્મોને આપવા સવાયો જવાબ,
સમરાંગણે શૂરાઓ આજ કરજો પ્રયાણ
દાવપેચી દુશ્મનોએ ધરિયાં બહુરૂપ,
શતરંજની ચાલથી ખેલશે રે દાવ
શૌર્યથી શોભાવજો સિંહકેસરીની કાયા,
ધર્મપથથી રાહે ઝીલજો રે ઘાવ
આ ધરણીએ પાયાં પ્રેરણાનાં પાન,
જાગો રે જાગો મા ભોમના સંતાન
આતતાયી ઠેરઠેર ખેલે રે અગન,
મસ્તકે કફન બાંધી ખેલો રે જવાન
સુણજો માભોમના અંતરના સાદ,
જંગમાં ઝુકાવો લાલ કરતા સિંહનાદ
ધ્રુજાવજો ધરણી ને શત્રુઓના હામ,
રખોપા કરજો તમે ભારતીના લાલ
દીઠા તારા બાહુમાં હસ્તીનાં રે બળ,
રોમરોમ પ્રગટે સાવજના શૌર્ય
મહા ભડવીર હૈયામાં રાખજો રે હામ,
હાક દેજો માનવતાની રાખવાને લાજ
………………………………………..
રમેશ પટેલ ‘આકાશદીપ’

December 1, 2008 at 5:02 am |
Nice Rachana by Rameshbhai…..Now, as regards the question raised that … Could we have done differently ?…Should the 400 hotel guests done something else is the ” after the fact ” question. Every situation is different & can not be compared. A few men but with the machineguns & granades & a VAST CLOSED ENVIRONMENT makes it bit impossible to attack…& even the Commandos had a problem as there were too many people & they did not want to injure any INNOCENT PEOPLE….The Commandos acted RIGHTLY…the Guests were insructed to lock themselves & they did WHAT THEY WERE INSRUCTED. This is how it was to end & we wish it was done quickly OR with LESS PERSONS DEAD.
This is what I think BUT some can have other OPINIONS too !
NOW, the most important is how India can get to the bottom of the investigation & the PEOPLE of INDIA keep calm & find a SOLUTION !
Those interested in reading a KAVYA related to this Event , PLEAS visit mt Blog & read the Post on MUMBAI.
http://www.chandrapukar.wordpress.com
December 17, 2008 at 7:04 pm |
yaa………..we need to to increase awareness regarding terrorism,,,,,,,,,,, and stop the bloody secular nuisance,,,,,,,,,,,,
February 26, 2009 at 5:01 pm |
Hello sir,
i want to join in nsg commando,please reaply me on my email address.
March 4, 2009 at 7:51 pm |
Congratilation Aakashdeep.
I impressed by reading your poem and understand that this is poem for today’s world to face challanges of terrirism.
Chirag Patel
April 30, 2009 at 3:08 am |
વાગે રણભેરી ને ગાજતું ગગન,
ના ઝૂકજે દેખી દુશ્મનોનાં દમન
માનવતાએ આજ દીધો તુજને મહાસાદ,
યુધ્ધ એજ માનજો હવે કલ્યાણ
જુલ્મોને આપવા સવાયો જવાબ,
સમરાંગણે શૂરાઓ આજ કરજો પ્રયાણ
One of the best poem of our mother tounge Gujarati.
let us salute the spirit of poem.
congratulation Rameshbhai.
C.kaneria