હું ગુર્જર ભારતવાસી…..ઉમાશંકર જોશી

January 26, 2010 by Vishvas

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે ૨૬મી જાન્યુઆરી.આજે તો છે આપણા બંધારણના અમલીકરણનો દિન એટલે કે આપણો ગણતંત્ર દિન... ૧૯૫૦ના આજના દિને આપણું બંધારણ અમલમાં આવ્યું અને આજે જે લોકસભા, રાજ્યસભા, સંસદનું સંવિધાન ચાલે છે તેનો પાયો નંખાયો હતો માટે તેને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવાય છે.તો ચાલો આજે પ્રજાસત્તાક દિન પર માણીએ ઉમાશંકર જોશીની સર્વોત્તમ રચના અને આપના અમૂલ્ય પ્રતિભાવની અપેક્ષા સહઅને ગત વર્ષે રજૂ કરેલ શ્રી રમણલાલ સોનીનો એક સ્વાનુભવ પણ જરૂરથી વાંચજો 

હું ગુર્જર ભારતવાસી.
ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી . હું…..

 

અર્બુદ- અરબસમુદ્ર વચાળે
ધરતીના આઉ દુધાળે,
આવી વળગી હર્ષ-ઉછાળે
ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી વિધ વિધ પ્રજા સુહાસી . હું…..

 

ધન્ય ધરા , કૃષ્ણ વસ્યા જ્યાં,
વિપદ દીઠી ક્યહીં, ત્વરિત ધસ્યા ત્યાં;
ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં.
ગાંધી-કૃષ્ણની કરુણાકરણી રહો ચિત્ત ઉપાસી . હું….

 

 

અશોક-ધર્મલિપિ ઉર મુજ અંકિત,
ઈસાઈ પારસિક મુસ્લિમ જિન-હિત
મંત્ર મધુર ગુંજે અંવિશંકિત :

સર્વ ધર્મ સમ, સર્વ ધર્મ મમ.’ – ઉર રહો પ્રકાશી . હું….

 

 

ગિરિચટ્ટાન સમાણી છાતી
જલધિતરંગ નાથે મદમાતી,
રમે વિદેશે સાહસ-રાતી
સદાજાગરૂક જગતનાગરિક સાગરતીર્થનિવાસી.

હું ગુર્જર ભારતવાસી.

ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી

ઉત્તરાયણ… હું રે પતંગ…..રમેશ પટેલ ‘આકાશદીપ’

January 14, 2010 by Vishvas

જય શ્રીકૃષ્ણ મિત્રો,

              આજે છે ૧૪મી જાન્યુઆરી.આજે તો છે ઉત્તરાયણ.સૂરજદાદાનું ઉત્તર તરફ ગમન કહું કે મકરસંક્રાંતિ.પણ ખાસ ગુજરાતમાં કહું તો આજનો દિન એટલે પતંગ ચગાવવાનો દિવસ. અને બસ આ પતંગની માફક જ પોતાનો આનંદ આકાશમાં વહેવડાવવાનો દિવસ. અને પતંગના પેચ લડતા લડતા ક્યારે નયનોના પેચ લડી જાય તે પણ કહેવાય નહ ખરું ને…!!! અને વળી આ વખતે તો આવતીકાલે ૧૫મી જાન્યુઆરીએ તો સૂર્ય અને ચંદ્રમાંના પણ પેચ લડવાના છે એટલે કે સદીનું કંકણાવર્તી સૂર્યગ્રહણ થવાનું છે. તો વાસી ઉત્તરાયણના દિવસે બપોરના સમયે યોગ્ય સાધનની મદદથી આ લાહવો પણ ચૂકતા નહીં અને તે સમય દરમિયાન પતંગ ચગાવવાનું ટાળજો.તો ચાલો પતંગ ચગાવવા લાગી જઈએ…આજે પણ ગત વર્ષની જેમ જ રમેશભાઈની રચના લઈને આવ્યો છું.વળી ગત વર્ષની કંકોતરી વાંચવાની પણ ચૂકતા નહી.બસ આપ સૌના પતંગના આગમનની રાહમાં એટલે કે આપના અમૂલ્ય પ્રતિભાવોની અપેક્ષા સહ ચાલો માણીએ આ રચના…

 


મસ્ત થઈ ઝૂમતી હું રે પતંગ
વહોને વાયરા ધીરે,મારે ઊડવું ગગન
મકર સંક્રાંતિનો પાવન છે પર્વ
પ્રકૃતિ પ્રેમ દોરે , મારે બાંધવું બંધન
હું ને પતંગ
પતંગ તને ઊડવું ગમે
ને મને ઊડાડવું ગમે
નખરાળો પવન તને સતાવે ભલે
મોજથી મનગમતા પેચ લપટાવીએ હવે
નીરખે ગોગલ્સમાં કોઈ તને
દૂરથી જુએ કોઈ છાનું મને
એક આંખવાળો પાવલો સતાવે ભલે
હાલને મજીયારો આનંદ લૂંટીએ જગે
ઓલો વિદેશી ઢાલ કેવો હંફાવી હસે
ને તારી જબરી શ્રીમતી લોટાવે મને
ખાઈ માલપૂડા ખખડાવ હવે થાળી ખાલી
લે હું પણ મારું અમદાવાદી ખેંચ છાનીછાની
દાદા દાદી જરા કાઢજો ને ગૂંચ
સૂરતી દોરીની મોટી છે લૂમ
લાગે ઉત્તરાયણ આજ વહાલી વહાલી
ઊંધીયા જલેબીથી ભરીએ મોટી થાળી
આકાશે ચગી અમારે દેવા સંદેશ
દાદા સૂરજ હાલ્યા મકરને દેશ
ઘરઘરનો દુલારો મારો ઉત્તરાયણ તહેવાર
રૂપલે મઢી પતંગથી છાયો કલશોર

આપણા દુ:ખનું કેટલું જોર ? …..રાજેન્દ્ર કેશવલાલ શાહ

January 4, 2010 by Vishvas

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                   નવા વર્ષની પોસ્ટ રમેશભાઈની રચના તો શિડ્યુલ કરી રાખેલ હતી પણ કેટલીક તકનીકી ખરાબીના કારણે રજૂ ન થઈ શકી અને આજ આ નવા વર્ષ ૨૦૧૦ની શરૂઆત એક દુખદ સમાચાર સાથે કરવી પડે છે.ગઈ કાલે મુંબઈમાં “જ્ઞાનપીઠ” એવોર્ડ વિજેતા કવિ શ્રી રાજેન્દ્ર કેશવલાલ શાહનું ૯૭ વર્ષની વયે અવસાન થયું છે.એમના વિશે કહુ તો ૨૧મી જાન્યુઆરી ૧૯૧૩ના રોજ કપડવંજ ખાતે જન્મેલા રાજેન્દ્ર શાહે ઘણા પુરસ્કાર મેળવેલ છે વળી ખુબ જ લોકપ્રિય થયેલ અને ફાલ્ગુની પાઠક દ્વારા ગવાયેલ ગરબો “ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર…” પણ તેમની રચના છે.વ્રજ્ગીતો, રાજસ્થાની અને બંગાળી લયનો પણ પ્રયોગ કરનાર, લય અને ઊર્મિશીલ કવિના જવાથી ગુજરાતી સાહિત્યને ઘણી ખોટ પડશે, તો આજે તેમની જ એક રચના આજે રજું કરું છું કે જે આપણને જાણે કહેતા હોય કે “ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? આપના અમૂલ્ય પ્રતિભાવોની અપેક્ષા સહ… 

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર !

ભારનુ વાહન કોણ બની રહે? નહી અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.

જલભરી દગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.

આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.

મહોરમ…वो सुबह कभी तो आयेगी…..સાહિર લુધિયાનવી

December 28, 2009 by Vishvas

જય શ્રીકૃષ્ણ મિત્રો,

              આજે છે ૨૮મી ડિસેમ્બર. આજે છે મહોરમ. મુસ્લિમો માટેનો એક માતમ અને શહિદ દિન.આજે પણ જ્યારે ધર્મના નામે લડાઈ અને આતંકવાદના નામે લેવાતા નિર્દોષ લોકોના ભોગને કારણે હૃદય દ્રવી ઉઠે છે કે શું આ માનવજાતની સર્વોચ્ચતા છે આના કરતા તો એ પશુ સારા કે જેઓ પરસ્પર હળીમળીને રહે છે, અને માનવ સિવાય કોઈ પણ પ્રાણી પોતાના વંશજ કે જાતિના પ્રાણી પર હુમલો ક્યારેય કરતા આજ દિન સુધી કોઈએ જોયા નથી.કોઈ પશુ ને પશુ થવા નથી કહેવુ પડાતું, પરંતુ માનવ ને કહેવું પડે છે કે માણસ થા…શું સાચે જ આપણી માનવતા ગુમાવી બેઠા છીએ. ના હજી પણ સમય છે , જાગ્યા ત્યારથી સવાર. ચાલો આજના દિને પ્રણ લઈએ કે હંમેશા ભાઈચાર અને પ્રેમ અને શાંતિથી રહીશું અને સમસ્યાને ઉકેલશું.આજે સાહિર લુધિયાનવીનું એક ફિલ્મ ફિર સુબહ હોગી નું ગીત રજું કરું છું આશા છે આપ સૌને ગમશે.અને આપના અમૂલ્ય પ્રતિભાવોની પ્રતિક્ષા રહેશે

 

 

वो सुबह कभी तो आयेगी, वो सुबह कभी तो आयेगी.

ईन काली सर्दीयों के सर से, जब रात का आचल ढलकेगा,

जब दुःख के बादल पिघलेंगे, जब सुख का सागर छलकेगा.

जब अंबर झूम के नाचेगा, जब धरती नगमे गायेगी,

वो सुबह कभी तो आयेगी,वो सुबह कभी तो आयेगी.

जिस सुबह की खातिर जुग जुग से, हम सब मर मर कर जीते है,

जिस के अमृत की बूंद में, हम ज्ञहर के प्याले पीते है,

ईन भूखे प्यासे रुंहो पर, एक दिन तो करम फरमायेगी,

वो सुबह कभी तो आयेगी,वो सुबह कभी तो आयेगी.

माना के अभी तेरे मेरे अरमानो की किमत कुछ भी नही,

मिट्टी का भी है कुछ मोल मगर, ईन्सानो की किमत कुछ भी नही.

ईन्सानो की ईज्जत जब झूठे सिक्कोमें ना तोली जायेगी,

वो सुबह कभी तो आयेगी,वो सुबह कभी तो आयेगी.

મેરી ક્રિસમસ…ક્રિસમસનો સાંતાક્લોઝ ! …..યોગેશ એસ. શુક્લ

December 25, 2009 by Vishvas

જય શ્રીકૃષ્ણ મિત્રો,

અરે આજે તો કહેવું જોઈએ કે મેરી ક્રિસમસ મિત્રો…!!! આજે છે ૨૫મી ડિસેમ્બર એટલે કે નાતાલ. આમ તો ઘણા બધા દિવસો બાદ મળવાનું થયું છે પણ સાથે ઘણી ખુશખબરી અને દિવસોની ઉજવણી સાથે લાવ્યો છું. બાલદિન બાદ ખાસ તો આજે નાના ભૂલકા અરે મોટા પણ જેની પાસે ભેટ સોગાદની આશા રાખે છે તેવા સાન્તાકોઝ દાદાની આજે નાતાલ છે તો આજે ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે પણ સમય નિકાળીને આ પોસ્ટ રજુ કરી રહ્યો છું.

મારા પપ્પા હવે સંપૂર્ણ સ્વસ્થ છે તથા ૩જી ડિસેમ્બરના રોજ મારી ભાણી પ્રિયાંશીનો જન્મદિવસ હતો. અને તે જ દિવસે મને એનેટોમી વિભાગ, બી. જે. મેડીકલ કોલેજમાં પીજી અભ્યાસક્રમની સાથે સાથે ટ્યુટરશીપ પણ મળી ગઈ છે એટલે ખુશી બેવડાઈ ગઈ, તે સમયે કામ વધું હોવાથી આ ખુશખબરી થોડી મોડી જણાવું છું તો તે બદલ દિલગીર છું.વળી ગઈકાલે હતો રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન.અને વળી રેડ રિબન એક્સપ્રેસ ગુજરાતમાં ફરી આવી ચૂકી છે પણ તેની વાત ફરી ક્યારેક… આજે તો નાતાલ પર અને આતંકવાદને જોડતું એક વ્યંગકાવ્ય રજું કરું છું આશા છે આપ સૌને તે ગમશે. અને આપ સૌ મિત્રો/વડીલોને મેરી ક્રિસમસ અને આપના અમૂલ્ય પ્રતિભાવોની પ્રતિક્ષા સહ… વળી ગત વર્ષે સાન્તાક્લોઝ કોણ છે અને નાતાલ પરનું બાળગીત જરૂરથી માનશો.

તાજ હોટલ, ક્રિસમસ પાર્ટીમાં,
પ્રવેશતાં જ બોલ્યો એક એન્જલ (દેવદૂત્)
ઓળખ્યો મને ?
હું ક્રિસમસનો સાંતાક્લોઝ,
લાવ્યો છું સૌ માટે ભેટસોગાદ
બાળકો માટે રમકડાં,
દુઃખીઓ માટે હાસ્ય,
રોગીઓ માટે સ્ફુર્તિ,
જેવી જેવી વ્યકિતની જરુરિયાત
તેવી તેવી મળશે તેમને ભેટસોગાદ
એન્જલ બોલ્યો,
અરે ! ખૂણામાં કોણ લોકો ઊભા છે ?
સૂનમૂન છો કેમ તમે બધા ? ”
વ્યકિતઓ બોલી,
હું શહીદની માતા છું,
હું શહીદનો પિતા છું,
હું શહીદની પત્ની છું,
હું શહીદનો પુત્ર છું, ‘
જોઈએ છે અમને સૌને એક જ સોગાદ,
લાવ એવો માનવ જે નાથે આજનો આતંકવાદ,
રહેશે દુનિયા પરના મનુષ્યો એકબીજાની ક્લોઝ,
ત્યારે જ તું બનશે અમારો ક્રિસમસનો સાંતાક્લોઝ !

બાળદિન…ઢીંગલી મેં તો બનાવી મજાની…..

November 14, 2009 by Vishvas

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૧૪મી નવેમ્બર એટલે ઘણા દિવસોનો સંગમ. આજે છે વિશ્વ બ્લડપ્રેશર દિનWorld Blood pressure Day”.અને વિશ્વ ડાયાબીટીસ દિન. તથા બાળકોનો દિવસ એટલેકે ચાચા નહેરું નો જન્મદિન જેને આપણે બાળદિન તરીકે ઉજવીએ છીએ.તો સૌ બાળકોને બાલદિનની ખુબ ખુબ શુભકામનાઓ.વળી ગઈકાલે હતો કવિ શ્રી મકરંદ દવેનો જન્મદિન પણ અને આવતીકાલે છે બાળવાર્તાના નિષ્ણાત અને બાળકોના પ્રખ્યાત એવા ગિજુભાઈ બધેકાનો જન્મદિવસ તો તેમને પણ જન્મદિનની ભાવભીની શુભકામનાઓ.

અને હા મિત્રો, હમણાંથી બ્લોગ પર મળાતું નહોતું કારણકે હમણા કોલેજમાં ખુબ જ વ્યસ્તતા રહે છે, વળી ગયા અઠવાડીયે મારા પપ્પાની નાદુરસ્ત તબિયતને કારણે તેમને આઈ.સી.યુ.માં દાખલ કરવા પડ્યા હતા.જેથી મનનો વિશ્વાસ અપડેટ ન થઈ શક્યો તથા આપ મિત્રો/વડીલોના બ્લોગની મુલાકાત પણ નથી લઈ શક્યો અને આપના અમૂલ્ય પ્રતિભાવોનો પ્રત્યુત્તર પણ નથી આપી શક્યો તો તે બદલ દિલગીર છું.જો કે હવે તેમની તબિયત સુધારા પર છે.તો ચિંતા ન કરતાં.આજે પણ માત્ર મારા નાના બાળમિત્રો માટે જ સમય નિકાળીને આ બાળગીત રજું કરું છું આશા છે આપ સર્વને ગમશે.આ ગીતને સુર સાથે માણવા સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેજો. વળી અહીં મૂકેલ ચિત્ર પણ ફુલમાંથી બનાવેલી ઢીંગલીઓનું છે.અને આપના અમૂલ્ય પ્રતિભાવોની રાહ જોઈશ…

ઢીંગલી મેં તો બનાવી મજાની,

તૈયાર એને હવે કરવાની,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

એનું ઝભલું સીવડાવવા દરજી પાસે જાઉં,

દરજીભાઈ દરજીભાઈ ઝભલું સીવી દો,

લાલ પીળા ઓઢણામાં આભલા જડી દો,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

એના ઝાંઝર બનાવવા સોની પાસે જાઉં,

સોનીભાઈ સોનીભાઈ ઝાંઝર બનાવી દો,

મોતીની માળા ને બંગડી ઘડી દો,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

એની મોજડી સીવડાવવા મોચી પાસે જાઉં,

મોચીભાઈ મોચીભાઈ મોજડી સીવી દો,

લાલ લાલ મખમલની મોજડી સીવી દો,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

એને સુંદર બનાવવા મમ્મી પાસે જાઉં,

મમ્મી મમ્મી પાવડર લગાવી દો,

આંખે આંજળ, ગાલે લાલી લગાવી દો,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

એનો ગજરો ગૂંથાવવા માળી પાસે જાઉં,

માળીદાદા માળીદાદા ગજરો બનાવી દો,

મોગરા ગુલાબનો ગજરો બનાવી દો,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

એને હોંશિયાર બનાવવા બેન પાસે જાઉં,

બેન ઓ બેન એને લખતાં શિખવાડી દો,

એક બે ત્રણ ચાર ગણતા શિખવાડી દો,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

ઢીંગલી મેં તો બનાવી મજાની,

તૈયાર એને હવે કરવાની,

ઢીંગલી મેં તો બનાવી મજાની…

તુલસી-વિવાહ…વિશ્વ ન્યુમોનિયા દિન…मैं तुलसी तेरे आंगन की…..

November 2, 2009 by Vishvas

જય શ્રીકૃષ્ણ મિત્રો

આજે છે કારતક સુદ પુનમઆજે છે દેવદિવાળી.વળી કેટલાક મંદિરોમાં આજે તુલસી-વિવાહ પણ યોજાય છે અને અમારા ગુરુજીના ધામ ઘુમામાં આજે બસ આ વિવાહમાં હમણાં જ જઈને આવ્યો.વળી આજે છે શ્રી ગુરુ નાનક જયંતિ પણ.જેમણે પણ હંમેશા સર્વધર્મ સમભાવનો સંદેશ આપેલો.અને આજે પણ તેમના સમાધિ સ્થાને હિંદુ-મુસ્લિમ સર્વ ધર્મના લોકો ત્યાં બંદગી અર્થે જાય છે, બસ આજનો સંદેશ એટલો કે આપણે આપણા વચ્ચેની વેર ભાવના ભુલાવી ભાઈચારાથી હળીમળીને સાથે તહેવારોની ઉજવણી કરીએ અને આનંદની છોળૉ ઉડાડીએ.

વળી આજે છે ૨જી નવેમ્બર.આજના દિનને વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશ્વ ન્યુમોનિયા દિન તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે.આપણે કદાચ સ્વાઈન ફ્લૂના હાઉથી ગભરાઈએ છીએ પણ એને જરા બાજુમાં રાખી જરા નજર કરીએ તો બાળકો માટે એક સૌથી ઘાતક રોગ હોય તો તે છે ન્યુમોનિયા, બોલવામાં પણ અઘરો લાગતો આ રોગ આપણા દેશમાં દર કલાકે ૪૭ બાળકોનો ભોગ લે છે એનો આપને અંદાજો પણ નહી હોય અને વર્ષે દહાડે આપણા ગુજરાતમાં પણ ૧૪,૪૦૦ મૃત્યુ આ રોગને કારણે થાય છે અને વિશ્વમાં પ્રતિ વર્ષ ૨૦ લાખથી પણ વધુ બાળકો મોતને ભેટે છે.આથી ઉલ્લેખનીય છે કે આ રોગ વિશે સૌ લોકોમાં જાગૃતિ આવે અને તો જ આ મૃત્યુદર ઘટાડી શકાય.વળી ૫ વર્ષથી નીચેની વયમાં મૃત્યુ પામતા દર પાંચમાં બાળક્ના મૃત્યુનું કારણ આ રોગ છે.આ માટે ત્રિપાંખિયો વ્યુહ

૧. બાળકની સારસંભાળ Protection,

૨. રોગ અટકાવવાના ઉપાયો Prevention &

૩. સારવાર Treatment

જેમકે બાળકોને પુરતો પોષક આહાર આપવો, બાળકને સ્તનપાન કરાવવું, જ્યારે ખોરાક તરફ પ્રયાણ કરાવતા હોઈએ ત્યારે પણ સ્વચ્છ અને ધીમેધીમે પ્રવાહી થી ઘટ્ટ સ્વરૂપે બાળકને સ્તનપાનથી ખોરાક તરફ લઈ જવું, વળી હવે આ રોગની રસી પણ ઉપલબ્ધ છે તો આ માટે આપના દાક્તરને મળી આ બાબતે પણ જાણકારી મેળવી લેશો.વળી કેન્દ્રિય આરોગ્ય વિભાગ દ્વારા પ્રારંભિક તબક્કે આ રસી દેશના દસેક રાજ્યોમાં પહોંચાડવામાં આવશે જો કે ગુજરાત આમાંથી બાકાત છે, પણ આશા છે કે આ સફળ થતાં આ રસી દરેકને પ્રાપ્ય થાય, તો આજના દિને માણીએ આ હિન્દી ગીત, વળી તુલસીનાં પાન અને તેનો રસ કફનાશક છે જ તો આજે એક ફરી અનોખો સમન્વય થઈ ગયો.અને આ રચના આપને કેવી લાગી તે જરૂરથી જણાવશો…

मैं तुलसी तेरे आंगन की,

मैं तुलसी तेरे आंगन की…

कोई नहीं मैं तेरे साजन की,

मैं तुलसी तेरे आंगन की…(२)

मैं तुलसी…

द्वार पडे पडे तरस गई,

आज उमड कर बरस गई,

प्यासी बदली सावन की,

मैं तुलसी तेरे आंगन की…(२)

मैं तुलसी…

मांग तेरी, सिंदूर भी तेरा,

सब कुछ तेरा कुछ नही मेरा,

मोहे सौगंध तेरे आंसु की,

मैं तुलसी तेरे आंगन की…(२)

मैं तुलसी…

कहे क्यों तु मुजसे जलती है,

अय री मोहे तो तु लगती है,

कोई सहेली बचपन की,

मैं तुलसी तेरे आंगन की,

कोई नहीं मैं तेरे साजन की,

मैं तुलसी तेरे आंगन की…(२)

मैं तुलसी…

मैं तुलसी तेरे आंगन की…(२)

मैं तुलसी…

मैं तेरा क्या ले जाउंगी,

धूल मैं तेरी गलियों की,

मैं तुलसी तेरे आंगन की,

कोई नहीं मैं तेरे साजन की,

मैं तुलसी तेरे आंगन की…(२)

मैं तुलसी…

मत रो बहना अंदर जा के,

देख गली में बाहर आ के,

आरती अपनी सौतन की,

मैं तुलसी तेरे आंगन की,

कोई नहीं मैं तेरे साजन की,

मैं तुलसी तेरे आंगन की…(२)

मैं तुलसी…