સાલ મુબારક…સાંઈરામ દવે

October 26, 2011 by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો

          આજે છે આસો વદ અમાસ એટલે કે આપળી રૂડી દિવાળી.અને આવતીકાલે થશે વિક્રમ સંવત ૨૦૬૮નો શુભારંભ.તો આપ સૌ મિત્રો વડીલો, બ્લોગર મિત્રો તથા આપના સમગ્ર પરિવારને મારા તથા મન અને અમારા સમસ્ત પરિવાર તરફથી શુભ દિપાવલી અને નૂતનવર્ષાભિનંદન. આવનારું આ વર્ષ આપના જીવનમાં ઘણી યાદગાર પળોને લઈને આવે અને આપની સર્વ મનોકામના પુર્ણ થાય તેવી પ્રભુને અભ્યર્થના.વળી આ વર્ષે ઘણું ઓછું મળવાનું થયુ છે તેમ છતા આપ સર્વે મિત્રોએ સંપર્ક જાળવી રાખ્યો તે બદલ આપનો ખુબ ખુબ આભાર. આજે રજું કરું છું સાઈરામ દવેની આ રમૂજી રચના આશા છે આ આપ સર્વેને ગમશે અને આપના અમૂલ્ય અભિપ્રાયની અપેક્ષા સહ…

 

(આ તસવીર ચંદ્રવદન કાકાના ઈ-મેલ પરથી મેળવેલ છે.)

તબિયત રહેજો હટ્ટીકટ્ટી સાલ મુબારક,

તૂટે નહી સ્લીપરની પટ્ટી સાલ મુબારક,

બને તો ભાગવત સપ્તાહ કરજો સાલ મુબારક,

નહીતર જૂના હપ્તા ભરજો સાલ મુબારક,

સ્કૂટરમાં ન પંકચર પડજો સાલ મુબારક,

ના ખોટા એડવેન્ચર કરજો સાલ મુબારક,

IT રિટર્ન NIL જ ભરવું સાલ મુબારક,

વીજળીના ચેકીંગથી ડરવું સાલ મુબારક,

બસમાં તમને સીટ મળી જાય સાલ મુબારક,

માનતા સઘળી તરત ફળી જાય સાલ મુબારક,

બેકારોને મળે નોકરીઓ સાલ મુબારક,

વાંઢાઓને મળે છોકરીઓ સાલ મુબારક,

આવે નહીં એકેય બિમારી સાલ મુબારક,

લોન થઈ જજો પાસ તમારી સાલ મુબારક,

નેતાગણ ના કરે કબાડા સાલ મુબારક,

ગુટખા પર લાગે ટાડા સાલ મુબારક,

કોઈ ન નકલી નોટો છાપે સાલ મુબારક,

કોઈ કોઈનું ખિસ્સું ન કાપે સાલ મુબારક,

શેર બજારના ભાવ ના તૂટે સાલ મુબારક,

ન એકેય બેંક ઊઠે સાલ મુબારક,

રક્ષાબંધન…અમર રાખડી…..કપિલ દવે

August 13, 2011 by

જય શ્રીકૃષ્ણ ભાઈઓ તથા બહેનો,

            હા આજે છે શ્રાવણ સુદ પૂર્ણિમા એટ્લેકે ભાઈ-બહેનનો તહેવાર એટલેકે રક્ષાબંધન. બહેન ભાઈના હાથે તેની લાંબી ઉંમર,સ્વાસ્થ્ય, પ્રગતિ અને સમૃદ્ધિ માટે રાખડી બાંધે અને ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે. આપણાં પૌરાણિક શાસ્ત્રોમાં રક્ષાબંધનના તહેવારને બલી રાજા અને લક્ષ્મીજી, કૃષ્ણ ભગવાન અને દ્રૌપદી, રાણી કર્ણાવતી અને મુઘલ બાદશાહ હુમાયુ, યમ અને યમુનાના સંદર્ભમાં ઘણી બધી વાતો સાંભળવા મળે છે, પરંતુ જેના માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે એ છે બલિરાજા અને લક્ષ્મીજી. બલિ રાજા ખૂબ ક્રૂર હતો. સાથે સાથે તે ભગવાન વિષ્ણુનો ઉપાસક પણ હતો. બલિરાજાની ઈચ્છા સ્વર્ગ પર આધિપત્ય જમાવવાની હતી. તેથી ઈન્દ્રએ ગભરાઈને વિષ્ણુ ભગવાનની મદદ માંગી. વિષ્ણુ ભગવાને વામન સ્વરૂપ ધારણ કરીને બલિરાજા પાસેથી ત્રણ પગલાંમાં પૃથ્વી, આકાશ અને પાતાળ બધું જ લઈ લીધું. બલિરાજાને જાણ હોવા છતાં કે ભગવાન વિષ્ણુ વામન અવતાર લઈને આવ્યા છે તેમણે દાન આપ્યું એ સાંભળીને વિષ્ણુએ વરદાન માંગવા કહ્યું. બલિરાજાએ ભગવાન વિષ્ણુને રાત-દિવસ પોતાની સામે રહેવાનું વરદાન માંગ્યું. વિષ્ણુ ભગવાન વૈકુંઠ પાછા ન ફરતાં લક્ષ્મીજી વિહ્વળ બની ગયાં. તેમણે બલિરાજાને ભાઈ બનાવીને રાખડી બાંધી અને વિષ્ણુ ભગવાનને મુક્ત કરાવ્યા. બસ, ત્યારથી આ તહેવાર ઉજવવામાં આવે છે.  જોકે રાખડી એ રક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. મહાભારતમાં કુંતા માતાએ અભિમન્યુને સાત કોઠા પાર કરવા માટે રક્ષાસૂત્ર બાંધ્યું હતું.

        રક્ષાબંધન ભારત અને નેપાળમાં ઉજવવામાં આવે છે. વિશ્વમાં અન્ય કોઈ દેશમાં આ તહેવારની ઉજવણી નથી થતી. નેપાળમાં રક્ષાબંધનને શ્રાવણી પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. તેને જનોઈ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. નેપાળના લોકોમાં આજના દિવસે ક્વાતી નામની વાનગી આરોગવાનું વિશેષ મહત્ત્વ છે. આ વાનગી સાત ધાન્યોમાંથી બનાવવામાં આવે છે.

નાળિયેરી પૂર્ણિમાઃ

        ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં રક્ષાબંધનને શ્રાવણી પૂર્ણિમા ઉપરાંત નાળિયેરી પૂનમ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દરિયાદેવની પૂજા કરવામાં આવે છે અને તેમને નાળિયેર પધરાવવામાં આવે છે.

ગમ્હા પૂર્ણિમા :

        ઓરિસ્સામાં રક્ષા બંધનને ગમ્હા પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ગાય અને બળદને શણગારવામાં આવે છે. રાધા અને કૃષ્ણના માનમાં ઝુલન યાત્રા કાઢવામાં આવે છે.

કાજરી પૂર્ણિમા :

        મધ્ય પ્રદેશ, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢમાં રક્ષા બંધનને કાજરી પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. ખેડૂતોમાં આ તહેવાર વિશેષ મહત્ત્વ ધરાવે છે. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણોમાં જનોઈ બદલાવવાનું વિશેષ મહત્ત્વ  હોય છે.

તો ચાલો આજે શ્રી કપિલ દવેની આ સુંદર રચના.આશા છે કે આપ સૌને ગમશે અને આપના અમૂલ્ય અભિપ્રાયની પ્રતિક્ષા રહેશે.

આજ બહેન ભાઈ ને બાંધશે અમર રાખડી,
આજ બહેન ભાઈ ને દેશે અમર આશીર્વાદ;

ને ભાઈ આપશે બહેનને અમુલ્ય ભેટ સોગાદ,
ભાઈ કરશે બહેનની રક્ષા જીવનભર;

આજ બ્રાહ્મણો બદલાવશે પવિત્ર જનોઈ,
ને આપશે યજમાનોને અમર આશીર્વાદ;

ખારવા નાળિયેર અર્પણ કરી દરિયાદેવને,
કરશે વિનંતિ લાજ રાખજો જીવનભર;

કોઈ કહે છે રક્ષાબંધન,કોઈ કહે બળેવ,
આજ ઘણાં ઉજવશે કહી નાળિયેરી પૂર્ણિમા;

પણ આજ ચોધાર આંસુડે રડશે બહેન,
‘કપિલ’ જેને નહિ હોય સગો ભાઈ.
………………………………………….

આભાર સંદેશ સમાચારપત્ર

મિત્ર-દિન…તને સાંભરે રે ?….. પ્રેમાનંદ

August 7, 2011 by

જય શ્રીકૃષ્ણ મિત્રો/ વડીલો,

          આજે છે ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર એટલેકે મિત્રતા દિન. તો આજે ચાલો યાદ કરીએ બે મિત્રો કૃષ્ણ અને સુદામા, વર્ષો પછી જ્યારે દ્વારિકામાં મળે છે ત્યારે પોતાના બાળપણના સંસ્મરણોને વાગોળે છે આ પ્રસઁગ શ્રી પ્રેમાનંદે તેમના સુદામાચરિત્રના 10માં કડવામાં ખુબ સુંદર આલેખ્યો છે.આશા છે કે આ આપ સૌને ગમશે અને આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશો…

[કડવું:- 10 મું ]

પછી શામળિયો બોલિયા, તને સાંભરે રે ?
હાજી નાનપણાની પેર, મને કેમ વીસરે રે ?
આપણે બે મહિના પાસે રહ્યા, તને સાંભરે રે ?
હાજી સાંદીપનિ ઋષિને ઘેર, મને કેમ વીસરે રે ?
અન્ન ભિક્ષા માગી લાવતા, તને સાંભરે રે ?
હાજી જમતા ત્રણે ભ્રાત, મને કેમ વીસરે રે ?

આપણે સૂતા એક સાથ રે, તને સાંભરે રે ?
સુખદુ:ખથી કરતા વાત, મને કેમ વીસરે રે ?

પાછલી રાતના જાગતા, તને સાંભરે રે ?
હાજી કરતા વેદની ધુન્ય, મને કેમ વીસરે રે ?

ગુરુ આપણા ગામે ગયા, તને સાંભરે રે ?
હાજી જાચવા કોઈક મુન્ય, મને કેમ વીસરે રે ?

કામ દીધું ગોરાણીએ, તને સાંભરે રે ?
કહ્યું લેઈ આવોને કાષ્ઠ, મને કેમ વીસરે રે ?

શરીર આપણાં ઊકળ્યાં, તને સાંભરે રે ?
હાજી માથે તપ્યો અરીષ્ઠ, મને કેમ વીસરે રે ?

સ્કંધે કહોવાડા ધર્યા, તને સાંભરે રે ?
ઘણું દૂર ગયા રણછોડ, મને કેમ વીસરે રે ?

આપણે વાદ્વ વદ્યા ત્રણે બાંધવા, તને સાંભરે રે ?
હાજી ફાડ્યું મોટું ખોડ, મને કેમ વીસરે રે ?

ત્રણે ભારા બાંધ્યા દોરડે, તને સાંભરે રે ?
હાજી આવ્યા બારે મેહ, મને કેમ વીસરે રે ?

શીતળ વાયુ વાયો ઘણો, તને સાંભરે રે ?
ટાઢે થરથર ધ્રુજે દેહ, મને કેમ વીસરે રે ?

નદીએ પૂર આવ્યું ઘણું, તને સાંભરે રે ?
ઘન વરસ્યો મુશળાધાર, મને કેમ વીસરે રે ?

એકે દિશા સુઝી નહીં, તને સાંભરે રે ?
થયા વીજ તણા ચમકાર, મને કેમ વીસરે રે ?

ગુરુજી ખોળવા નીસર્યા, તને સાંભરે રે ?
કહ્યું સ્ત્રીને કીધો તેં કેર, મને કેમ વીસરે રે ?

આપણને હૃદયાંશુ ચાંપિયા, તને સાંભરે રે ?
પછી તેડીને લાવ્યા ઘેર, મને કેમ વીસરે રે ?

ગોરાણી ગૌ દોતાં હતાં, તને સાંભરે રે ?
હતી દોણી માગ્યાની ટેવ, મને કેમ વીસરે રે ?

મેં નિશાળેથી કર વધારિયો, તને સાંભરે રે ?
હાજી દીધી દોણી તતખેવ, મને કેમ વીસરે રે ?

જ્ઞાન થયું ગુરુપત્નીને, તને સાંભરે રે ?
તમને જાણ્યા જગદાધાર, મને કેમ વીસરે રે ?

ગુરુદક્ષિણામાં માંગિયું, તને સાંભરે રે ?
હાજી મૃત્યુ પામ્યો જે કુમાર, મને કેમ વીસરે રે ?

મેં સાગરમાં ઝંપલાવ્યું, તને સાંભરે રે ?
તમો શોધ્યાં સપ્ત પાતાળ, મને કેમ વીસરે રે ?

હું પંચાનન શંખ લાવિયો, તને સાંભરે રે ?
હાજી દૈત્યનો આણ્યો કાળ, મને કેમ વીસરે રે ?

સંયમની પુરી હું ગયાં, તને સાંભરે રે ?
પછી આવી મળ્યો જમરાય, મને કેમ વીસરે રે ?

પુત્ર ગોરાણીને આપિયો, તને સાંભરે રે ?
હાજી પછે થયા વિદાય, મને કેમ વીસરે રે ?

આપણે તે દિનથી જુદા પડ્યા, તને સાંભરે રે ?
હાજી ફરીને મળિયા આજ, મને કેમ વીસરે રે ?

હું તુજ પાસે વિદ્યા ભણ્યો, તને સાંભરે રે ?
મને મોટો કર્યો મહારાજ, મને કેમ વીસરે રે ?

— પ્રેમાનંદ ( ‘સુદામાચરિત્ર’ પુસ્તક ) —

વળી અગાઉ પ્રસિદ્ધ થયેલ કૃષ્ણ-સુદામાની જોડી ની મુલાકાત પણ જરૂરથી લેશો.

ગુરૂપુર્ણિમા…નિર્મળ બની નહી કાયા…..ચુંથાભાઈ જીજીદાસ પટેલ

July 15, 2011 by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે અષાઢી પૂનમ એટલે કે ગુરૂપુર્ણિમા. જીવનયાત્રાને પાર પાડવા ગુરુ પથદર્શકની ભૂમિકા ભજવે છે. સદગુરુ શિષ્યનાં જીવનને દિશા આપે છે. માટે જ તો કહે છે કે

ગુરૂ ગોવિંદ દોનો ખડે, કીસકો લાગુ પાય,
બલિહારી ગુરૂ આપને, ગોવિંદ દિયો બતાય.

ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર,
ગુરૂઃ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

તો ચાલો આજે માણીએ શ્રી ચુંથાભાઈ જીજીદાસ પટેલ ની આ રચના… આપના અમૂલ્ય પ્રતિભાવની અપેક્ષા સહ…..

કરી જાતરા જીવ ભરમાયા તોયે નિર્મળ બની નહી કાયા
ગણા મંડપ મેળાવડા રચાયા તોયે એવા ને એવા જણાયા

પંચ વિષયના પ્યાર
નથી છુટતા લગાર
ગંગા યમુનાના નિરમાં નાહ્યા તોયે નિર્મળ બની નહી કાયા

સુણ્યાં પોથી પુરાણ
તોય રહ્યા અજાણ
સાત દિવસ સપ્તાહમાં ગુમાવ્યા તોય એવા ને એવા જણાયા

લાગ્યો પુરુષોત્તમે રંગ
જાણ્યો મેશ્વો નદી ગંગ
ગંગા નદીમાં દિવડા જગાવ્યા તોય એવા ને એવા જણાયા

તિલક માળાનો ને’મ (નિયમ)
તોય મનમાં ગણો વ્હેમ
કંઠે તુલસીના મણકા લગાવ્યા તોય નિર્મળ બની નહી કાયા

મળ્યા સદ્‍ગુરૂ દેવ
કરી ચરણની સેવ
ચુંથારામ પુરણ મનોરથ પાયા પછી હરખે ગુરૂના ગુણ ગાયા

વિશ્વાસનો ધબકાર…અનાયાસ ઝિંઝુવાડીયા “આંશિક”

June 21, 2011 by

રાધેકૃષ્ણ મિત્રો / વડીલો,

                         આમ તો આજે બહુ વહેલી છુ પણ આ રચના પૂર્વસૂચિત કરેલ છે એટલે જ્યારે આપ આ વાંચી રહ્યા હશો ત્યારે હશે ૨૧મી જૂન. એટલે કે વિશ્વ સંગીત દિવસ અને સાથે સાથે આ બ્લોગના રચયિતા અને આપ સૌના હિતેશ “વિશ્વાસ”નો પણ જન્મદિન છે. તો આજે આ ખાસ પોસ્ટ વિશના જન્મદિવસની ભેટરૂપે અર્પણ થઈ શકે તે માટે ખાસ આજે સમય લઈને આજના દિવસે રજૂ થાય એવી ગોઠવણ કરેલ છે.બસ અનાયાસે  જ અનાયાસ ઝિંઝુવાડિયાના બ્લોગ સમન્વય પર એકવાર જઈ ચડ્યા અને તેમની આ રચના ખૂબ પસંદ આવી તો આજના દિને આ રચના ખાસ વિશ અને આપ સૌને માટે… આશા છે કે આપ સૌને ગમશે અને આપના અભિનંદન અને અમૂલ્ય અભિપ્રાયોની આશા સાથે….

 

આંખોના પલકારે આજે આંસુ વેદના બની છલકાય છે,

પળ-પળના ધબકારે આજે તો સ્નેહના સ્પંદન વિખરાય છે.

શ્વા્ચ્છોશ્વાસે હવે આજે એક જ ઝંખના ઉત્પન્ન થાય છે,

મુકું તારા હોઠોએ સ્મીત એવા રમતા કે મનડું હવે તો તારૂં  સ્નેહમાંજ મલકાય છે.

 

વિરહના કાળજા તારા-મારા આજે તો જોઇ ,

ક્યારેક તો હદય પણ ધબકાર ચૂકી જાય છે.

હાથમાં હાથ નાખી આજે જીદંગીની નવી રાહે નીકળતા,

સમયના સાત સમુદ્રની રેખા આજે વચ્ચે ખેંચાય છે.

 

જુએ છે દુનિયા આજે અનંત પ્રેમ તારો-મારો,

તોયે પળે-પળે સંબંધોના આજે પારખા થાય છે.

કોમળ હદય આજે તો તારૂં-મારૂં ખાલી ભૂખ્યું છે પ્રેમનું,

ન જાણે કેમ તોયે આજે લાગણીઓ મૂંઝ્વણ બની છલકાય છે.

 

મળવાને હદય તારા આજે,

હદયતો મારૂં પણ થનગન થાય છે,

દૂરીના દરીયાને પ્રેમની નાવડીમાં ઓળંગવા જતા મનડું આજે,

ક્યાંક જીદંગીના વમળમાં ગોથા ખાય છે.

 

ભલે સક્ષમ નથી આજે લાગણીઓ સમક્ષ તારી રજૂં કરવા હું,

પણ કહું શું તને કે આજે તો મારી ઊર્મીઓ પણ જુદા આકારે પ્રગટ થાય છે.

વિશ્વાસ મારો કહે છે આજે ખબરતો તને પણ હશે કે,

ધબકાર  જ્યારે ત્યાં થાય છે ત્યારે અવાજ તો અહીં પણ સંભળાય  છે.

ધુળેટી બહું રંગીન લાગે છે…..રઈશ મણિયાર

March 20, 2011 by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

ઘણા સમય બાદ આજે નવી રચના સાથે આવ્યો છું, તો તે બદલ ક્ષમાપ્રાર્થી છું.હમણાથી કામમાં ખુબ જ વ્યસ્ત રહેવાય છે. પણ આજના દિવસે તો ખાસ સમય નિકાળીને આવ્યો છુ, આજે છે ફાગણ વદ એકમ.એટલે કે ધુળેટી. તો સૌ મિત્રો/વડીલોને મારા,મન અને અમાર પરિવાર તરફથી હોળી અને ધુળેટીની ખુબ ખુબ શુભકામનાઓ.અને આજના જ દિને અમારા ગુરૂજીનો પણ જન્મદિન છે.વળી તમને ખબર છે આજે છે ૨૦મી માર્ચ જે વિશ્વ ચકલી દિન અને વિશ્વ વાર્તા કથન દિવસ તરીકે ઉજવાય છે. અને આ સૌ પ્રસંગે એક વાર્તા જ જેવી અને આપણા બાળપણ તથા ભૂતકાળને યાદ કરાવી દે તેવી શ્રી રઈશ મણિયારની રચના સંદેશ સમાચારપત્રમાં વાંચી તો થયું કે આપ સૌ સાથે તેને માણું. તો ચાલો માણિએ આ રચના..અને હંમેશા તમારા અમૂલ્ય અભિપ્રાયોથી સાથ આપતા રહેશો…

 

 

ધુળેટીના તમાશાઓ બહું રંગીન લાગે છે,

આ પરણ્યાઓ, કુંવારાઓ બહું રંગીન લાગે છે.

 

તેં ખેંચ્યા એ દુપટ્ટાઓ બહું રંગીન લાગે છે,

પડ્યા ગાલે તમાચાઓ બહું રંગીન લાગે છે.

 

પાડોશણને તું રંગે ત્યાં જ પત્ની જોઈ ગઈ, માર્યા !

ધુળેટીના ધબડકાઓ બહું રંગીન લાગે છે.

 

કયા મારા, પાડોશીના કયા એ પણ કળાતું ક્યાં,

સમી સાંજે આ ભૂલકાઓ બહું રંગીન લાગે છે.

 

જે નિકળ્યા શ્વેત ટોપી, શ્વેત કફની, શ્વેત ધોતીમાં,

ફર્યા પાછા તો કાકાઓ બહું રંગીન લાગે છે.

 

જીવન બસ બ્લેક પિક્ચરસમ અને કાઈટ્સનું બસ ટ્રેલર,

આ ટ્રેલર જેવા દહાડાઓ બહું રંગીન લાગે છે.

 

લપસવું, ભાગવું, પકડાવું, ભીંજાવું ને ખરડાવું,

નર્યા ગમગીન કિસ્સાઓ બહું રંગીન લાગે છે.

2010 in review

January 2, 2011 by

The stats helper monkeys at WordPress.com mulled over how this blog did in 2010, and here’s a high level summary of its overall blog health:

Healthy blog!

The Blog-Health-o-Meter™ reads Wow.

Crunchy numbers

Featured image

A Boeing 747-400 passenger jet can hold 416 passengers. This blog was viewed about 9,400 times in 2010. That’s about 23 full 747s.

In 2010, there were 15 new posts, growing the total archive of this blog to 289 posts.

The busiest day of the year was February 13th with 101 views. The most popular post that day was વેલેન્ટાઈન ડે…તો બેધડક તું મારી પાસે આવજે…..ઊર્મિબેન.

Where did they come from?

The top referring sites in 2010 were gu.wordpress.com, sulabhgurjari.com, google.co.in, drmanwish.blogspot.com, and wahgujarat.com.

Some visitors came searching, mostly for ગુજરાત, રામદેવપીર, હનુમાન ચાલીસા, નૂતન વર્ષાભિનંદન, and હિન્દી ગીત.

Attractions in 2010

These are the posts and pages that got the most views in 2010.

1

વેલેન્ટાઈન ડે…તો બેધડક તું મારી પાસે આવજે…..ઊર્મિબેન February 2009
1 comment

2

સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની…રમેશ ગુપ્તા, મન્ના ડે May 2008
1 comment

3

રામદેવપીર નો હેલો……… August 2008
9 comments

4

શ્રી હનુમાન ચાલીસા….તુલસીદાસ April 2008
4 comments

5

નૂતન વર્ષાભિનંદન…સ્નેહ સંદેશ…..રમેશ પટેલ ‘આકાશદીપ’ October 2008
5 comments


Follow

Get every new post delivered to your Inbox.